જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

જિલ્લા કક્ષાનો માહે.સપ્ટેમ્બર-૨૦૨૨ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૨ (ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવાં પોતાને લગતાં પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેકટર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

-બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી,

Related posts

Leave a Comment